Railway Alert: વાવાઝોડા ‘યાસ’ને કારણે આ ટ્રેનો રહેશે રદ

તૌકતે વાવાઝોડા બાદ હવે ‘યાસ’ વાવાઝોડાની ભીતિ છે ત્યારે રેલવે વિભાગે સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત ‘યાસ’ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. જેની માહિતી નીચે મુજબ છે.

1. તારીખ 23 અને 24 મે, 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ રદ રહેશે.

2. તારીખ 25 અને 27 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

3. તારીખ 26 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.

4. તારીખ 24 મે, 2021 ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ રહેશે.

5. તારીખ 25 મે, 2021 ના રોજ અજમેર થી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *