રાજકોટ: 11 જૂન સુધીના પોલિસ કમિશ્નરએ જારી કરેલા પ્રતિબંધક હુકમો

કોરોના મહામારીને અટકાવવા માટે 11 જૂન સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના હુકમો જારી કર્યા છે

રાજકોટ શહેરમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવુ નહીં. તેમજ જાહેર માર્ગ, રાજમાર્ગો, શેરીઓ ગલીઓમાં ઉભા રહેવું નહીં કે રખડવું નહીં. સવારના 9 થી સાંજના 6 કલાક દરમિયાન દુકાનો, વાણીજ્યીક સંસ્થાઓ, ચાની લારીઓ, પાનના ગલ્‍લાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ સહિતની વેપારીક ગતિવિધિ  ખુલ્લા રાખી શકાશે.

રેસ્‍ટોરન્‍ટ સવારે 9 થી રાત્રીના 9 કલાક સુધી ટેકઅવે (take away) અને હોમ ડિલેવરીની સુવિધા ચાલુ રાખી શકાશે. અઠવાડિક ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે.

લગ્‍ન સમારંભમાં બંધ કે ખુલ્‍લી જગ્‍યામાં 50 વ્‍યક્તિઓની મંજૂરી રહેશે. લગ્‍ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે. અંતિમક્રિયા કે દફનવિધી માટે મહત્તમ 20 વ્‍યક્તિઓની મંજૂરી રહેશે

સમગ્ર જિલ્‍લામાં સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્‍સ ટેક સબંધિત સેવાઓ, કેશ ટ્રાન્‍ઝેકશન સેવાઓ, બેંકોનું કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ. અથવા સી.ડી.એમ. રીપેરર્સ, સ્‍ટોક એકસચેન્‍જ, સ્‍ટોક બ્રોકરો, ઇન્‍સયોરન્‍સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્‍યા 50 ટકા સુધી સુનિશ્વિત કરવાની રહેશે. સમગ્ર જિલ્‍લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્‍થિતિ વગર સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ અથવા સ્‍પોર્ટસ સ્‍ટેડીયમ કે સંકુલમાં રમગ ગમત ચાલુ રાખી શકાશે.

શહેરના તમામ ધાર્મિક સ્‍થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્‍થાનો ખાતેની દૈનિક પુજા / વિધી ધાર્મિક સંસ્‍થાનોના સંચાલકો/ પુજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્‍લિક બસ ટ્રાન્‍સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને સબંધમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ પડશે.

તમામે ફેસ કવર, માસ્‍ક અને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું ચુસ્‍તપણે પાલન કરવું. ઉપરાંત કોવિડ-૧9 અન્‍વયે કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય / રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગના વખતો વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે તેનો તમામે ચુસ્‍ત રીતે અમલ કરવાનો રહેશે.  આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આવશ્‍યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં. આ હુકમ બિમાર, સગર્ભા, અશકત વ્યકિતઓને સારવાર માટે અવરજવરની છુટ રહેશે. એસટી, રેલવે કે એરપોર્ટની મુસાફરી કરનારને ટિકિટ રજૂ કર્યે અવરજવર પર મુક્તિ મળશે. મેડિકલ, પેરામેડિકલ સ્ટોર્સ, શાકભાજી માર્કેટ, મસાલા દળવાની ઘંટી, મીડિયા વગેરેને આ હુકમમાંથી મુક્તિ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *