અમદાવાદના ભરચક વિસ્તારમાં લાગી ભીષણ આગ, 15 ઝૂંપડા આગમાં લપેટાયા

અમદાવાદમાં આવેલા આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવરની સામે આવેલા ઝૂંપડામાં અચાનક ભયંકર આગ લાગી ગઈ હતી. ઘડીક વારમાં જ 30થી વધુ ઝૂંપડા આગની ચપેટમાં આવી ગયા હતા અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી.

આ ઘટનામાં 15 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે જ્યારે 30 જેટલા ઝૂંપડાને નુકસાન થવાના આહેવાલ પ્રાપ્ત થયા છે. શરૂઆતમાં ઝૂંપડાંમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી છે. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી ગઈ છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *